આમ આદમી પાર્ટી (AAP)ના દિગ્ગજ નેતા Manoj Sorathiya એ સુરત શહેરમાં ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે. “ડોર ટુ ડોર પ્રચાર મહાઅભિયાન” અંતર્ગત તેમણે વોર્ડ નંબર 4માં સીધો જનસંપર્ક શરૂ કર્યો છે, જે શહેરની રાજકીય ગરમાવો વધારતો નજરે પડે છે.
પ્રચાર દરમિયાન મનોજ સોરઠીયાએ જણાવ્યું કે લોકોમાં બદલાવ માટે સ્પષ્ટ માહોલ જોવા મળી રહ્યો છે. “ડોર ટુ ડોર દરમિયાન લોકોએ અમને જણાવ્યું કે ‘સુરત બદલાવ માટે તૈયાર’,” તેમ તેમણે કહ્યું.
તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, “સુરતમાં આમ આદમી પાર્ટીનો મેયર બનશે,” જે પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ ભરી રહ્યો છે.
સોરઠીયાએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું, “ભાજપના ભ્રષ્ટાચાર, મોંઘવારી અને અત્યાચારથી થાકેલા લોકો હવે બદલાવા માટે તૈયાર છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આમ આદમી પાર્ટીનું જાડું બદલાવનું માધ્યમ બનશે.”
સ્થાનિક સ્તરે લોકો તરફથી મળતા પ્રતિસાદ અંગે તેઓએ કહ્યું કે, “AAPને લોકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે,” જે આવનારી ચૂંટણીમાં પાર્ટી માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
