વોર્ડ નં. 16ના કોર્પોરેટર પાયલ સાકરિયાએ લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમના ચરણોમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
આ પ્રસંગે કોર્પોરેટર પાયલ સાકરિયાએ જણાવ્યું કે સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે આપેલું યોગદાન અવિસ્મરણીય છે. દેશના રજવાડાઓને એકસાથે લાવી મજબૂત ભારતનું નિર્માણ કરનાર સરદાર સાહેબનું નેતૃત્વ, શિસ્ત અને દ્રઢ સંકલ્પ આજે પણ સૌ માટે પ્રેરણાસ્રોત છે.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં કોટે કરોડ વંદન અર્પી, તેમણે તેમના આદર્શો પર ચાલવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી.
