માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં નવું લાવવામાં આવેલું NextGen GST બજારમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવી રહ્યું છે, જ્યારે “હર ઘર સ્વદેશી” અભિયાન નાગરિકોને આત્મનિર્ભર ભારત તરફ પગલું વધારવા પ્રેરણા આપી રહ્યું છે.
આ પહેલોને આગળ વધારતાં, વોર્ડ 5 ની કોર્પોરેટર નિરાલી પટેલ, વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિ ભાઈ બાલર અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે મળીને વોર્ડના દુકાનોમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું. NextGen GST વિશેની જાગૃતિ માટે સ્ટીકરો લગાવવામાં આવ્યા અને સ્થાનિક સ્વદેશી ઉત્પાદનો અપનાવવાની મહત્વતાની માહિતી પણ વેપારીઓ અને રહેવાસીઓને આપવામાં આવી, જેથી સ્થાનિક ઉત્પાદનો ખરીદવા અને ઉપયોગ કરવા માટે લોકો પ્રેરિત થાય.
