પાસોદરા, કઠોદરા અને લસકાણા વિસ્તારને નવી કનેક્ટિવિટી મળે તે હેતુથી વોર્ડ 3ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
બુલેટ ટ્રેનને સમાંતર સ્વામિનારાયણ મિશન રોડથી પાસોદરા અને ત્યારબાદ કઠોદરા જોડતો રોડ બનાવવાની રજૂઆત કર્યા બાદ આજે કોર્પોરેટર મહેશ અણઘણે સંબંધિત અધિકારીઓને રૂબરૂ સ્થળ પર વિઝિટ કરાવી અને આ રોડને ઝડપથી મંજુર કરવા બાબતે વિગતવાર ચર્ચા કરી.
કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું કે આ રોડ બની જતાં વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને સ્થાનિક નાગરિકોને સુવિધાજનક વિકલ્પરૂપ માર્ગ મળશે, જેના કારણે વિસ્તારના વિકાસને પણ વેગ મળશે. તેમણે અધિકારીઓને પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી વહેલી તકે મંજૂરી આપવા અનુરોધ કર્યો.
