વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણીને સુરત એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી, હિંદૂ હૃદય સમ્રાટ અને કુશળ વક્તા માનનીય શ્રી યોગી આદિત્યનાથજીનું આત્મીય સ્વાગત કરવાની તક પ્રાપ્ત થઈ.
આ પ્રસંગે દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથનું નેતૃત્વ મજબૂત શાસન, કાયદો-વ્યવસ્થા અને વિકાસનું પ્રતીક છે. તેમના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશે નવી દિશા મેળવી છે, જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
સુરત એરપોર્ટ પર યોજાયેલ આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કાર્યકરો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતે રાષ્ટ્રીય એકતા અને વિકાસ માટેના સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવી છે.
