સોમનાથ સ્વાભિમાન પર્વ – 2026 હેઠળ વોર્ડ નં. 23ના કોર્પોરેટર પરેશ પટેલની હાજરીમાં વિશેષ ટ્રેનને પ્રસ્થાન

સોમનાથ સ્વાભિમાન પર્વ – 2026 હેઠળ વોર્ડ નં. 23ના કોર્પોરેટર પરેશ પટેલની હાજરીમાં વિશેષ ટ્રેનને પ્રસ્થાન

na

સોમનાથ સ્વાભિમાન પર્વ – 2026 અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા સોમનાથ મહાદેવના દર્શનાર્થે જવા માટે શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.

આ ગૌરવભર્યા પ્રસંગે વોર્ડ નં. 23ના કોર્પોરેટર પરેશ પટેલ સાથે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. હજારો શ્રદ્ધાળુઓ આ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના પાવન દર્શન માટે રવાના થયા, જે ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક પરંપરાનું પ્રતિબિંબ છે.

આ સમગ્ર આયોજન ભાજપ સુરત મહાનગર દ્વારા સંસ્કૃતિ, શ્રદ્ધા અને ધાર્મિક એકતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ સુવ્યવસ્થિત આયોજન અને સુવિધાઓ બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો.

કોર્પોરેટર પરેશ પટેલએ જણાવ્યું કે આવી ધાર્મિક પહેલો સમાજમાં સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને મજબૂત બનાવે છે. તેમણે આ સુંદર આયોજન બદલ કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ભાજપના નેતૃત્વનો આભાર માન્યો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart