વોર્ડ નં. 16 હેઠળ આવેલી સત્યનારાયણ સોસાયટી અને અમરધામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ગટર સમસ્યાની ફરીયાદ મળતાં વોર્ડ નં. 16 ના કોર્પોરેટર શ્રીમતી પાયલ સાકરિયાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને મહાનગરપાલિકાના અધિકારીશ્રીને સ્થળ પર રૂબરૂ બોલાવ્યા.
કોર્પોરેટર પાયલ સાકરિયાએ ગટરનો ગાળ કાઢી પ્રેશર દ્વારા ગટર સફાઈ કરવા સૂચન કર્યું તેમજ રહેવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે કામ ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય માટે આવી સમસ્યાઓનો સમયસર ઉકેલ જરૂરી છે.
સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક કાર્યવાહી બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
