ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના વોર્ડ નં. 17 (પુણા પૂર્વ) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વોર્ડ 17ના કોર્પોરેટર સ્વાતી ક્યાડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા (SIR) મુદ્દે આપેલ ઐતિહાસિક ભાષણ સૌએ નિહાળ્યું.
આ ભાષણમાં અમિત શાહ સાહેબે મતદાર યાદીની ચોકસાઈ અને લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ સુધારણાની મહત્વતા ઉપર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે વોર્ડ સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેટર સ્વાતી ક્યાડાએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી મતદાર જાગૃતિ અને લોકશાહી ભાગીદારીને મજબૂત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરી.
